About Us
- શિક્ષણ વિભાગના તા.૧૧/૦૨/૨૦૧૧ના જાહેરનામાથી બિન સરકારી અનુદાનિત શાળાઓ માટે “ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતી” ની રચના થયેલ છે.
-
આ સમિતિના સભ્યો નીચે મુજબ છે.
- નિયામક, શાળાઓની કચેરી, ગાંધીનગર - અધ્યક્ષ, હોદ્દાની રૂએ
- ઉપાધ્યક્ષ, ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર- સભ્ય
- સરકારે નિયુક્ત કરવાના નાયબ સચિવશ્રીથી નીચલા દરજ્જાના ન હોય તેવા સિનિયર સરકારી અધિકારી- સભ્ય
- સરકારે નિયુક્ત કરવાના બે નામાંકિત શિક્ષણશાસ્ત્રી- સભ્ય
- સરકારે નામનિયુક્ત કરવાના શાળા સંચાલનના માન્ય એસોસિએશનના એક પ્રતિનિધિ - સભ્ય
- સંયુક્ત શિક્ષણ નિયામક, ગુ.રા.,ગાંધીનગર- સભ્ય અને સભ્ય સચિવ
- જેના માટે ભરતી કરવાની હોય તેવી શિક્ષકોની જગ્યાની સંખ્યા જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી નક્કી કરવી જોઈએ. તેમ છતાં, જિલ્લા શિક્ષણાધિકારીઓએ શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે માંગ-પત્ર ભરવુ અનિવાર્ય રહેશે.
- રાજ્યમાં બહોળો ફેલાવો ધરાવતા ગુજરાતી અને અંગ્રેજી વર્તમાનપત્રોમાં જાહેરાત દ્વારા અરજીઓ મંગાવવી જોઈશે.
- મળેલી અરજીઓની ચકાસણી કરવી જોઈશે.
- સંબંધિત જીલ્લા શિક્ષણાધિકારીશ્રીને અને સંબંધિત શાળાઓના સંચાલક મંડળને નિમણુક માટે પસંદ થયેલા ઉમેદવારોના નામની ભલામણ કરવી જોઈશે.
- ભલામણોનું રેકર્ડ નિભાવવું જોઈશે.
- શિક્ષણ વિભાગમાં તેના દ્વારા હાથ ધરાયેલી પ્રવૃતિઓનો વાર્ષિક અહેવાલ સરકારને રજુ કરવો જોઈશે.
- સરકાર દ્વારા વખતો-વખત, તેને સોંપવામાં આવે તેવા બીજા કાર્યો માટે જવાબદાર રહેવું જોઈશે.
- પસંદગી સમિતિએ અરજીઓની ચકાસણી કરવી જોઈશે. અને આવી ચકાસણી માટે સમિતિ પોતે યોગ્ય ગણે તેવી કાર્યરીતી અપનાવી શકશે.